Barbadosમાં​​​​​​​ કર્ફ્યૂ, બેરિલ વાવાઝોડાને કારણે એરપોર્ટ બંધ , ટ્રોફી સાથે ખેલાડીઓ હોટલમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-07-01 15:29:59

29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.... પણ હવે ભારતીય ટીમ સહિત 70 લોકો કરતા વધારેનું એક ગ્રુપ બાર્બાડોસમાં ફસાય ગયું છે....કેમ કે બાર્બાડોસમાં લાગી ગયું છે કર્ફ્યુ.... 


વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ 

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે... ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાનું હતું. પરંતુ, ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે... ત્યાં જે રિપોર્ટ સામે આવ્યા તેમાં કહેવામાં આવ્યું છે કે, એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે... 


આ ટાપુ પર ટકરાઈ શકે છે વાવાઝોડું 

કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે.. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. બેરીલ વાવાઝોડાને કારણે ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાવાઝોડું ટૂંક સમયમાં કેરેબિયન ટાપુ પર ટકરાશે અને સ્થાનિક સરકારે તેને 'ખૂબ જ ખતરનાક' શ્રેણીમાં રાખ્યું છે.... આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયાને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે..... 


મેચ જોવા ગયેલા લોકો ભસાયા... 

T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે રિઝર્વ ડે હોવાથી, બંને ફાઇનલિસ્ટની પ્રારંભિક યોજના સોમવારે ત્યાંથી નીકળવાની હતી. ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નવો કોઈ ઓર્ડર ન આવે ત્યાં સુધી બાર્બાડોસમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને તમામ સ્ટોર્સ અને ઓફિસ બંધ છે. જેને કારણે ટીમ ઈન્ડિયા અને તેમના પરિવારજનો, ક્રિકેટ રસિકો, પત્રકારો જે મેચ કવર કરવા ગયા હતા. એ લોકો ત્યાં ફસાય ગયા છે....  

 

જય શાહ પોતે રાખી રહ્યા છે તમામ પ્રક્રિયા પર નજર

ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈ લગભગ 70 લોકોની ભારતીય ટુકડી માટે એક ચાર્ટર કરવા પર વિચાર કરી રહી છે, જેમાં ક્રિકેટરો, તેમના પરિવારો, સહાયક સ્ટાફ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તમામ વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સમાચાર મળી રહ્યાં છે કે ટીમ ઈન્ડિયા સમયપત્રક મુજબ, અહીંથી (બ્રિજટાઉન) ન્યુયોર્ક જવાની હતી અને પછી દુબઈ થઈને ભારત પહોંચવાની હતી. 


2 જુલાઈએ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી શકે છે 

હવે અહીંથી સીધી દિલ્હી સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ લેવાની યોજના છે. ત્યાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સહાયક સ્ટાફ, પરિવારો અને અધિકારીઓ સહિત લગભગ 70 સભ્યો છે..... કેટલાક અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટીમ 2 જુલાઈએ ભારત પરત આવી શકે છે. જોકે આ બધું ત્યાંના હવામાન પર નિર્ભર રહેશે..... આશા રાખીએ છીએ કે ત્યાંનું હવામાન ઝડપી સરખુ થાય... અને આપણી ચેમ્પિયન ટીમ જલદી સ્વદેશ પરત ફરે... 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.