Barbadosમાં​​​​​​​ કર્ફ્યૂ, બેરિલ વાવાઝોડાને કારણે એરપોર્ટ બંધ , ટ્રોફી સાથે ખેલાડીઓ હોટલમાં કેદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-01 15:29:59

29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.... પણ હવે ભારતીય ટીમ સહિત 70 લોકો કરતા વધારેનું એક ગ્રુપ બાર્બાડોસમાં ફસાય ગયું છે....કેમ કે બાર્બાડોસમાં લાગી ગયું છે કર્ફ્યુ.... 


વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ 

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે... ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાનું હતું. પરંતુ, ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે... ત્યાં જે રિપોર્ટ સામે આવ્યા તેમાં કહેવામાં આવ્યું છે કે, એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે... 


આ ટાપુ પર ટકરાઈ શકે છે વાવાઝોડું 

કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે.. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. બેરીલ વાવાઝોડાને કારણે ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાવાઝોડું ટૂંક સમયમાં કેરેબિયન ટાપુ પર ટકરાશે અને સ્થાનિક સરકારે તેને 'ખૂબ જ ખતરનાક' શ્રેણીમાં રાખ્યું છે.... આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયાને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે..... 


મેચ જોવા ગયેલા લોકો ભસાયા... 

T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે રિઝર્વ ડે હોવાથી, બંને ફાઇનલિસ્ટની પ્રારંભિક યોજના સોમવારે ત્યાંથી નીકળવાની હતી. ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નવો કોઈ ઓર્ડર ન આવે ત્યાં સુધી બાર્બાડોસમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને તમામ સ્ટોર્સ અને ઓફિસ બંધ છે. જેને કારણે ટીમ ઈન્ડિયા અને તેમના પરિવારજનો, ક્રિકેટ રસિકો, પત્રકારો જે મેચ કવર કરવા ગયા હતા. એ લોકો ત્યાં ફસાય ગયા છે....  

 

જય શાહ પોતે રાખી રહ્યા છે તમામ પ્રક્રિયા પર નજર

ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈ લગભગ 70 લોકોની ભારતીય ટુકડી માટે એક ચાર્ટર કરવા પર વિચાર કરી રહી છે, જેમાં ક્રિકેટરો, તેમના પરિવારો, સહાયક સ્ટાફ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તમામ વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સમાચાર મળી રહ્યાં છે કે ટીમ ઈન્ડિયા સમયપત્રક મુજબ, અહીંથી (બ્રિજટાઉન) ન્યુયોર્ક જવાની હતી અને પછી દુબઈ થઈને ભારત પહોંચવાની હતી. 


2 જુલાઈએ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી શકે છે 

હવે અહીંથી સીધી દિલ્હી સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ લેવાની યોજના છે. ત્યાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સહાયક સ્ટાફ, પરિવારો અને અધિકારીઓ સહિત લગભગ 70 સભ્યો છે..... કેટલાક અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટીમ 2 જુલાઈએ ભારત પરત આવી શકે છે. જોકે આ બધું ત્યાંના હવામાન પર નિર્ભર રહેશે..... આશા રાખીએ છીએ કે ત્યાંનું હવામાન ઝડપી સરખુ થાય... અને આપણી ચેમ્પિયન ટીમ જલદી સ્વદેશ પરત ફરે... 



ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..

રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .