CSDS-Lokniti survey: મુખ્યમંત્રીના પદ માટે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી લોકોની પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2022-11-06 14:54:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પ્રકારના પોલ અને સર્વેની મોસમ ખીલી છે.  જેમ કે તાજેતરમાં જ CSDS-Lokniti survey કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને ગુજરાતની રાજનીતિ અંગેના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ છે તે અંગેનો હતો. જો કે આ એક સવાલમાં લોકોએ કોઈ પણ નેતા પર પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.


કોઈ પણ નેતાને ન મળ્યો બહોળો પ્રતિસાદ


ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે લોકો કોને જોવા માંગે છે તે સવાલના જવાબમાં લોકોએ 10 નેતા પર પસંદગી ઉતારી હતી. આ નેતાઓમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, વિજય રૂપાણી, જિજ્ઞેસ મેવાણી, નિતીન પટેલ, આનેદીબેન પટેલ, હાર્દિક પટેલ, અમિત શાહ, ભરત સિંહ સોલંકીનો સમાવેશ થતો હતો. જેમાં સૌથી વધુ 15 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ માટે પસંદ કર્યા હતા.


કોંગ્રેસના નેતાઓમાં જિજ્ઞેશ મેવાણી પહેલી પસંદ


રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તો લોકો કયા નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેમાં જિજ્ઞેશ મેવાણી અને ભરતસિંહ સોલંકીમાંથી લોકોએ જિજ્ઞેસ મેવાણી પર વધુ ભરોસો વ્યક્ત કર્યો હતો. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને જિજ્ઞેસ મેવાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.