ગીરમાં સિંહને જોવા ઉમટી લોકોની ભીડ, 3 નવેમ્બર સુધીની પરમિટ થઈ ફૂલ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:02:24

દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલું ગીર અભ્યારણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે. ચોમાસા બાદ ગીરની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારે લોકો પ્રકૃતિની સુંદરતાને માણવા તેમજ એશિયાટિક સિંહોને જોવા આવી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાને કારણે પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે. જેને કારણે ગીર અભ્યારણમાં 3 નવેમ્બર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે.

મોટી સંખ્યમાં લોકો લઈ રહ્યા છે મુલાકાત

મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રવાસ માટે જતા હોય છે. ત્યારે એશિયેટિક સિંહોને જોવા દેશ વિદેશથી લોકો ગીર આવી રહ્યા છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહોને રાખવામાં આવે છે. ગીરમાં, પ્રકૃતિના ખોળે સિંહો વિચરતા હોય છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળતા આગામી સમયના તમામ સ્લોટનું બુકિંગ થઈ ગયું છે. લોકો સિંહ અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લઈ રહ્યા છે.  

K.J.Shah High School- Theba: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

દિવાળીમાં ધમધમ્યું ગીર અભ્યારણ

ચોમાસા દરમિયાન સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. જે બાદ અનેક પ્રવાસીઓએ અભ્યારણની મુલાકાત લઈ લીધી છે. દિવાળી દરમિયાન પ્રવાસ માટેનું સ્પોટ બની રહ્યું છે.વિરામ બાદ ફરી એક વખત સાસણ ગીર લોકોથી ધમધમી રહ્યું છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.