જનતાના કરોડો રુપિયા ગયા પાણીમાં! સુરતમાં એક મહિના પહેલા ઉદ્ધાટન કરાયેલો આ બ્રિજ બેસી ગયો! આપના નેતાએ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-06-29 09:40:05

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતાં જ જેમ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે તેવી જ રીતે વરસાદમાં બ્રિજના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી ઓછી ગુણવત્તા વાળા સામાનની પોલ પણ ખુલી જતી હોય છે. બ્રિજ નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે ઘણી વાત કરવામાં આવી. બ્રિજના નિર્માણ દરમિયાન કરોડો રુપિયા વાપરવામાં આવે છે પરંતુ તે બ્રિજ ટકાઉ નથી હોતા. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ બાદ જ બ્રિજ પર તિરાડો દેખાઈ આવે છે, અથવા તો બ્રિજ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક બ્રિજો છે જે આ બધી વાતોને કારણે ચર્ચામાં આવ્યા છે.

એક મહિનાની અંદર જ બ્રિજ પર પડી ગઈ તિરાડ 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે  જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પડેલા વરસાદે બ્રિજના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતાં બ્રિજનો એક સાઈડનો ભાગ બંધ કરવામાં  આવ્યો છે. મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. 18મેના રોજ જ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ રીતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર એક મહિનાની અંદર જ બ્રિજ પર તિરાડો દેખાવાની શરૂઆત થતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


અનેક એવા બ્રિજ છે જેમાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર 

ન માત્ર સુરતના બ્રિજની આવી હાલત થઈ હોય પરંતુ અનેક વિકસીત ગણતા શહેરોના બ્રિજની હાલત પણ આવી જ છે. અમદાવાદમાં પણ અનેક એવા પુલ છે જે માટે લોકો આરોપો લગાવતા હોય છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમદાવાદના અનેક બ્રિજો છે જે વિવાદમાં છે. સુરતના બ્રિજ પર જોવા મળેલી તિરાડને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે 40થી 45 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે બ્રિજનો એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને દોઢથી બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદમાં 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે.

ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલવામાં આવે - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!