કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે રાઘવજી પટેલે કરી આ જાહેરાત, જાણો કોને વળતર મળશે?


  • Published By :
  • Published Date : 2023-04-29 19:49:18

રાજ્યમાં સતત થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવી પડી છે. રાજ્ય સરકારે આ નુકસાનીના સર્વે માટે ખાસ ટીમની રચના કરી હતી. હવે જ્યારે આ આ સર્વેનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યું છે અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે જેમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે.


13 જિલ્લાના 60 તાલુકામાં નુકસાન


કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે માવઠાથી થયેલા નુકસાનની સહાય અંગે વાત કરી હતી. જેમાં બેથી ત્રણ દિવસમાં સહાય અંગે જાહેરાત થઇ જશે તેમ જણાવ્યુ હતું. તેમણે કહ્યું મુખ્યપ્રધાન કક્ષાએથી આ સહાયની જાહેરાત થશે. સર્વેની કામગીરી માટેની પ્રક્રિયા ખુબ લાંબી હોવાના કારણથી સહાયમાં થોડો વિલંબ થઇ રહ્યો છે. એટલું જ નહિં તેમણે એ વાત પણ સ્વીકારી કે, 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જો કે, જે પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે એમને જ આ સહાયનો લાભ મળશે. તેવી વાત પણ રાઘવજી પટેલે કરી છે. આ ઉપરાંત હાલ પડી રહેલા માવઠાથી ખેડૂતોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત પણ કૃષિ પ્રધાને કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.