ક્રિકેટર મુનાફ પટેલ સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, બેંક એકાઉન્ટ સીઝ, 52 લાખ રૂપિયા વસૂલાયા


  • Published By :
  • Published Date : 2022-12-16 15:15:36

જાણીતા ક્રિકેટર મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.  મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રેટર નોઈડા વેસ્ટના સેક્ટર 10માં વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવી રહી છે. મુનાફ પટેલ આ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપનીએ ફ્લેટ ખરીદનારાઓને નક્કી કરેલી સમય પર ફ્લેટ આપવાનું વચન નિભાવ્યું નથી.  ત્યાર બાદ ફ્લેટ ખરીદદારો અને બિલ્ડરના વચ્ચે રકમ પાછી મેળવવાને લઈ વિવાદ વધ્યો હતો. અંતે આ સમગ્ર વિવાદ રેગ્યુલેશન ઓથોરિટી યુપી રેરા સુધી પહોંચ્યો છે.    


ફ્લેટ ખરીદદારોએ કરી ફરિયાદ


વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં ફ્લેટ માટે આગોતરી ચુકવણી કરનારા ગ્રાહકોએ યુપી રેરામાં ફરિયાદ નોંધાવી અને તેમની રકમ પાછી મેળવવાની માગ કરી હતી. ત્યાર બાદ યુપી રેરાએ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી જારી કરી હતી. ત્યાર બાદ દાદરી તાલુકા વહીવટીતંત્રએ બિલ્ડર પાસેથી રકમ વસુલવાના પ્રયાસો શરૂ કર્યા છે.


એકાઉન્ટ સીઝ અને 52 લાખની વસૂલાત 


ઉત્તર પ્રદેશના ગૌતમબુધ્ધનગરના જિલ્લા વહીવટી તંત્રએ યુપી રેરાની આરસી પર કાર્યવાહી  કરતા પૂર્વ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર મુનાફ પટેલના બે  બેંક ખાતા સીઝ કરી દીધા છે. અને તેની પાસેથી 52 લાખ રૂપિયાની વસુલાત પણ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે ખરીદદારોની ફરિયાદો દૂર કરવા અને યુપી રેરા દ્વારા જારી કરાયેલી આરસીની રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


નિવાસ પ્રમોટર્સનું રજીસ્ટ્રેશન 2017માં થયું હતું


અત્રે ઉલ્લેખનિય છે  કે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2017 માં યુપી રેરામાં નોંધાયેલું હતું. રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, યુપી રેરાએ અગાઉ પણ કંપનીને ઘણી ચેતવણીઓ જારી કરી હતી. પરંતુ, પાલન ન કરવા બદલ, યુપી રેરાએ ભૂતકાળમાં રૂ. 10 કરોડની વસૂલાત માટે આરસી જારી કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.