ચારધામ યાત્રા પહેલા હાઈવે પર પડી રહી છે તિરાડ, તિરાડો વધતા લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-20 12:46:24

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઘરોમાં તિરાડો પડવાને લીધે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી ઉપરાંત અનેક બિલ્ડીંગોને તોડી નાખવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે પરંતુ  આ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધારે જગ્યાઓ પર તિરાડો દેખાઈ હતી. જેને લઈ આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તિરાડ વધી શકે છે.

जोशीमठ-बद्रीनाथ हाईवे हाईवे पर 10 KM के हिस्से में दरारों के चलते सड़क टूटने लगी है।

आशंका जताई गई है कि कई जगह दरारों की वजह से हाइवें के बड़े हिस्से धंस सकते हैं।

આવનાર દિવસોમાં વધી શકે છે તિરાડોનું પ્રમાણ

થોડા સમય બાદ ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. દિવસેને દિવસે જમીનનું ઘોવાણ થઈ રહ્યું હતું. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત અનેક ઈમારતોને તોડી પણ પડાઈ હતી. ત્યારે ચારધામ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધુ જગ્યાઓ પર તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે એક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. 

प्रशासन ने कुछ जगह हाईवे की मरम्मत कराई थी, लेकिन वहां फिर से दरारें दिखने लगी हैं।


ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા વધી લોકોની ચિંતા 

શનિવારના દિવસે ઉત્તરાખંડ સરકારે ચારધામ અંગેની જાહેરાત કરી હતી. કેદારનાથ મંદિરના દ્વાર 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલવાના છે. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા હાઈવે પર અનેક તિરાડો જોવા મળી હતી. જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર આ તિરાડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે આશંકા બતાવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ તિરાડો વધી પણ શકે છે. મોટી સંખ્યામાં લોકો ચારધામની મુલાકાત લેતા હોય છે ત્યારે આ તિરાડનો ખતરો આવનાર દિવસોમાં વધી પણ શકે છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.