અમદાવાદના બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 11 લોકો ઘાયલ, 25થી વધુ દુકાનો સળગીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-05-10 19:01:04

અમદાવાદના બાપુનગરમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને કારણે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં 3 લોકોને ગંભીર ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફટાકડાના જોરદાર અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીષણ આગને કારણે આસપાસની 25થી વધુ દુકાન સળગી ગઈ હતી. વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાપુનગરના વિકાસ એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે.  


ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટના સ્થળે 


બાપુનગરના વિકાસ એસ્ટેટમાં લાગેલી ભયાનક આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગની ગજરાજ સહિતની કુલ 23 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આગ ફટાકડામાં લાગી હોવાના કારણે આગ સતત ફેલાઈ રહી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ફટાકડાના ગોડાઉનમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.