અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન - વિપક્ષ હિંસા ફેલાવી મુદ્દો બનાવે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:45:53

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરરોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર મોડી રાત્રે હુમલો થયો હતો. જે બાદ તેમના સમર્થનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું છે કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે, જેથી હિંસા ફેલાવી મુદ્દો બનાવી રહી છે. 

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

વાંસદામાં કોંગ્રેસની હારને હુમલા સાથે જોડ્યો    

ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પોતાનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.જે બાદ તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. હુમલા પર પ્રતિક્રિયા આપતા સી. આર. પાટીલે કહ્યું કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે.

  

ક્યાં સુધી આરોપ-પ્રતિઆરોપની થતી રહેશે રાજનીતિ

સી.આર.પાટીલના આવા નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાશે. ફરી એક વખત આરોપ પ્રતિઆરોપો લગાવવામાં આવશે. ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું દરેક હુમલાને રાજનીતિની સાથે જોડીને જ જોવામાં આવશે? કોંગ્રેસના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો ભાજપ જવાબદાર અને જો કોઈ ભાજપના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો કોંગ્રેસ જવાબદાર? શું આરોપ પ્રતિઆરોપમાં જ રાજનીતિ સીમિત થઈને રહી જશે?     



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.