કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદન પર સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, ખડગેએ પીએમને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:27:15

આગામી સમયમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વાતને લઈ કોંગ્રસ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. 


સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર આપી પ્રતિક્રિયા!  

કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં નેતાઓ દ્વારા આપેલા નિવેદનની ચર્ચા ગુજરાતમાં પણ થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા અપાયેલા નિવેદનને અભદ્ર ગણાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાન્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી ક્યારેય બાજ નહીં આવે. કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીએમ સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  


શું કહ્યું હતું મલ્લિકાર્જન ખડગેએ?            

ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં પરંતુ તમે એને ચાખશો તો તમારૂં મોત થઈ જશે. આ નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ હતી. જે બાદ વિવાદ વધતા ખડગેએ નિવેદનને લઈ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તેમની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!