કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદન પર સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, ખડગેએ પીએમને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:27:15

આગામી સમયમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વાતને લઈ કોંગ્રસ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. 


સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર આપી પ્રતિક્રિયા!  

કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં નેતાઓ દ્વારા આપેલા નિવેદનની ચર્ચા ગુજરાતમાં પણ થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા અપાયેલા નિવેદનને અભદ્ર ગણાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાન્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી ક્યારેય બાજ નહીં આવે. કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીએમ સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  


શું કહ્યું હતું મલ્લિકાર્જન ખડગેએ?            

ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં પરંતુ તમે એને ચાખશો તો તમારૂં મોત થઈ જશે. આ નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ હતી. જે બાદ વિવાદ વધતા ખડગેએ નિવેદનને લઈ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તેમની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.