સી આર પાટીલ પાસે રૂ. 8 કરોડની ખંડણી માગનારા જિનેન્દ્ર શાહની ધરપકડ, વિજયસિંહ રાજપૂત વોન્ટેડ જાહેર


  • Published By :
  • Published Date : 2023-07-27 20:39:48

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પાસેથી 8 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી જાણકારી મુજબ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માંગનારા અમદાવાદના જીનેન્દ્ર શાહની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. સી આર પાટીલ પર આ વ્યક્તિએ ચૂંટણીમાં રૂ. 80 કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવીને ખંડણી માગી હતી. આ મામલે સુરતના ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની ઠક્કરે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે ખંડણી માગનારની ધરપકડ કરી લીધી છે. જે પછી આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયો છે.


સની નિલેશભાઇ ઠાકોરની ફરિયાદ બાદ કાર્યવાહી 


સુરતના ભટાર રોડ ના ઉમરાવ નગરમાં રહેતો સની નિલેશભાઇ ઠાકોર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરે છે. તેણે જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ગત 30મી ઓગષ્ટ 2022ના રોજ તેને વોટ્સએપ પર એક લીંક સાથે વીડિયો મળ્યો હતો. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 80 કરોડનો કાંડ કર્યો એવું લખેલું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે  જીનેન્દ્ર શાહે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જીનેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે તેણે રુપિયા 80 કરોડ પાર્ટી ફંડ માટે ઉઘરાવી આપ્યા હતા. જેમાંથી વાયદા અનુસાર 10 ટકા લેખે 8 કરોડ કમિશન મને આપવામાં આવ્યું નથી. જો કે પાટીલે તેના આરોપોને ફગાવી દીધા હતા. અને તેના પર કોઇપણ જાતના આધાર પુરાવા વિના, બદનામ કરવા અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રાજકીય હેતુ પાર પાડવાનો આરોપ લગાવ્યો હતો.


શાહને ત્રણ દિવસના રિમાન્ડ, વિજયસિંહ રાજપૂત વોન્ટેડ જાહેર


જિનેન્દ્ર શાહ સામે IPC કલમ 384, 469, 500, 504 તથા 501 બ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહની આ કેસમાં ધરપકડ કરી છે. શાહને બુધવારે સાંજે કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે 29મી તારીખે સાંજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ખંડણી વસૂલવા વીડિયો બનાવી તેને વાયરલ કરવામાં શાહને મદદ કરનારા વિજયસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું પણ આધારભૂત પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.


જિનેન્દ્રએ શું આક્ષેપ કર્યાં હતાં?


​​​​​​​જિનેન્દ્રએ એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે, પાટીલે ચૂંટણી વખતે મને બિનસત્તાવાર રીતે ચૂંટણી ફંડ, સંવેદનશીલ દસ્તાવેજોની હેરફેર કરવાની કામગીરી સોંપી હતી. હું જે ફંડ લઇ આવું તેમાંથી 10 ટકા કમિશન મને ચૂકવવાનું હતું. મેં ચૂંટણી વખતે ભાજપ તરફી મતદાન કરાવવા માટે બે હજાર લેખે 30 હજાર મતદાતાઓમાં 60 લાખ રૂપિયા વહેંચ્યાં હતાં. કામના બદલામાં મને ભાજપમાં પદની પણ ઓફર કરાઇ હતી. પરંતુ ચૂંટણી પૂરી થતાં પાટીલે મને કમિશન કે પદ આપવાનો ઇન્કાર કરી દીધો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!