સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર, કહ્યું આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે, જેની સીધી અસર ભાજપને થશે


  • Published By :
  • Published Date : 2022-11-11 10:49:49

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. પ્રચાર દરમિયાન અનેક વખત પાર્ટી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. આ વખતે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. 

સી. આર. પાટીલ : ગુજરાત ભાજપ અધ્યક્ષ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે? -  BBC News ગુજરાતી

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી છે - સી.આર.પાટીલ

ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. જોરશોરથી આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપનો પ્રચાર કરવા સી.આર.પાટીલ ગયા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે. 

લોકતંત્રમાં બદલાવ જરૂરી છે - પાટીલ

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં નથી આવી. જેને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે લોકતંત્રમાં બદલાવ જરૂરી છે. જેને કારણે અમે આ વખતે અનેક યુવા ચહેરાઓને મોકો આપ્યો છે. ભાજપ સામાન્ય રીતે 20 ટકા ધારાસભ્યોને બદલે જ છે. આ યાદી એક પેઢીગત પરિવર્તન દર્શાવે છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.