કોઈ પડી જાય તો આપણને મજા કેમ આવે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 18:08:52

કોઈ પડી જાય તો આપણે આટલા ખુશ કેમ થઈ જઈએ છીએ!


આપણો સમાજ જેમ-જેમ શિક્ષિત થતો જાય તેમ-તેમ વધુને વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રી બનતો જાય છે. આપણે કોઈની નિષ્ફળતાની મજાક ઉડાવવામાં એક પ્રકારનો વિકૃત આનંદ મેળવીએ છીએ. એક સ્વસ્થ સમાજ માટે આ બાબત શરમજનક કઈ શકાય. રસ્તા પર જતો કોઈ રાહદારી કે વાહન ચાલક પડી જાય તો પણ અન્ય રાહદારીઓ કે વાહનચાલકો તેને ઉભો કરવાને બદલે જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ ખંધુ હસીને ચાલી નિકળે છે. કોઈ મોટા રાજકારણી પણ જો પડી જાય તો મીડિયા પણ આ ઘટનાને ખાસ હાઈ લાઈટ કરતું રહીને તેનો વીડિયો વારંવાર બતાવતું રહે છે. શું કોઈ રાજકારણી માણસ નથી તે સુપરમેન છે?, તે શારિરીક નબળાઈ, થાક કે સરતચૂકથી પડી જાય તો તેમાં શું મોટી બાબત છે, આવી સામાન્ય ઘટનાને આટલું બધુ મહત્વ આપવાની શી જરૂર છે. સમાજમાં આવું બને ત્યારે ગુજરાતી ભાષાના મુર્ધન્ય કવિ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીની પેલી પ્રખ્યાત કાવ્ય પંક્તીઓ યાદ આવે છે. 


'પીંપળ પાન ખરંતા, હસતી કૂંપળીયાં મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીયાં'


સમાજમાં કોઈ વ્યક્તી નોકરી, ધંધો કે અન્ય કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ જાય ત્યારે અન્ય લોકો તો ઠીક તેના નજીકના પરિવારજનો પણ તેનો ઉત્સાહ વધારવાના બદલે મનોમન તેની નાકામીને લઈ આનંદ અનુભવે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય કે ઓછા ટકા આવે તો પણ તે વિદ્યાર્થીને વિવિધ પ્રકારના મહેણાંટોણાનો સામનો કરવો પડતો હોય છે. 


કોઈની મુશ્કેલી,નિષ્ફળતા, પીડાને જોઈ પાશવી આનંદ લેવો એ આપણા સમાજમાં સર્વ સ્વિકાર્ય બાબત બની ગઈ છે. તેમાં જો કોઈ વ્યક્તી સમાજના ઉચ્ચ પદ પર હોય અને તે જો નિષ્ફળ જાય તો લોકોને નિંદા કરવા માટે જાણે ગોળનું ગાડુ મળી ગયું. કોઈ રાજનેતા, ફિલ્મ કલાકાર, બિઝનેશ મેન, ખેલાડી, ઉચ્ચ અધિકારી કે પછી કોઈ પણ ક્ષેત્રની અગ્રણી હસ્તી ભૂલથી પણ નિષ્ફળ જાય તો જાણે આવી જ બન્યું લોકો તેના પર માંછલા ધોવા રીતસર તુટી જ પડે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ભૂકંપ સ્મૃતિવનનું ઉદઘાટન કર્યું. આ સમયે હાજર ભાજપના પ્રદેશ સી.આર.પાટીલ અચાનક જ નીચે પડી ગયા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ઉભા કરવામાં મદદ કરી, જો કે વડાપ્રધાન મોદી જાણે કશું જ બન્યું ન હોય તેમ તટસ્થ જોવા મળ્યા હતા.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.