યુવરાજ સિંહને સી.આર.પાટીલનો ટોણો, 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તે નિરર્થક'


  • Published By :
  • Published Date : 2023-05-02 22:15:08

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દેનારા ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર પોલીસે ગાળિયો કસ્યો છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 આરોપીઓને રિમાન્ડ પછી જેલ હવાલે કર્યા છે. જો કે આ મામલે ફરી એક વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાવનગરમાં જ મોટું નિવેદન આપ્યું છે.


યુવરાજસિંહનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે: પાટીલ


ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના નિવેદન આ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. અંગે સી.આર પાટીલને પુછવામાં આવતા તેમણે ટોણો મારતા કહ્યું કે 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તેનો કોઇ જ અર્થ નથી. યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે. ઘસાઇ ગયેલા ઇશ્યુને હવે શું કરવાનું? પોલીસ પોલીસનું કામ કરી રહી છે. આ અંગે હું વધારે કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી'. પાટીલના આ નિવેદનના બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.


યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવ્યું


ભાવનગર તોડકાંડ મામલે ગઇકાલે રિમાન્ડ પૂર્ણ થતા જ યુવરાજસિંહને જેલ હવાલે કરી દેવાયા છે. આજે અન્ય આરોપીઓના પણ રિમાન્ડ પુર્ણ થતા તેમને જેલ મોકલી અપાયા છે. જો કે આ મામલે હવે યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવીમાં  તેઓ પૈસાનું આંગડીયુ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. અત્યાર સુધીમાં તોડકાંડના યુવરાજ સિંહ અને તેમના બે સાળા સહિતે કુલ 6 આરોપીઓ જેલમાં છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.