સી આર પાટીલનો ટોણો 'કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય'


  • Published By :
  • Published Date : 2023-06-05 21:34:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરી એક વખત કોંગ્રેસને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. કચ્છના ભુજના મિરજાપર માર્ગ પર કચ્છ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યલયનું સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર.પાટીલે પોતાના ભાષણ  કોંગ્રેસ પર વિવિધ મુદ્દે માર્મિક પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ પર આકરા પ્રહાર


કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઓપનિંગ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાજપીઓ તો એમ કહે છે કે રામ મંદિર તો વહી બનાએગે લેકીન તારીખ નહીં બતાએગે તો એ કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા આવી જાય. ભાજપે આપેલું વચન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ PM મોદીને ધમકી આપી હતી. પરંતુ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે, કોઇની ધમકીથી ડરતા નથી. તેમણે કોંગ્રેસને લલ્લુઓની પાર્ટી ગણાવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.