સીઆર પાટીલની મહત્વની જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 'નો રિપીટ થિયરી'નો થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:06:54

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સતત ફેરફારો થતા રહે છે. પાર્ટીના કાર્યકરો તથા યુવા નેતાઓને વહીવટમાં સ્થાન મળી શકે તે માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે હવે નો રિપિટ થીયરીનો અમલ કરવામાં આવશે.


નવા લોકોને તક મળે તે માટે નિર્ણય 


ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન જિલ્લાના અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પદો માટે નો રિપિટેશન થિયરીનો અમલ કરવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ પાર્ટી દ્વારા આ નિર્ણય કરાયો છે. નો રીપિટની થિયરી મુજબ જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.


1500 જેટલા પદો માટે હોદ્દેદારોની પ્રક્રિયા શરૂ 


ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી આ બધાની લગભગ 1500 જેટલા સભ્યો જેમણે આ જવાબદારી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!