સીઆર પાટીલની મહત્વની જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 'નો રિપીટ થિયરી'નો થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:06:54

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સતત ફેરફારો થતા રહે છે. પાર્ટીના કાર્યકરો તથા યુવા નેતાઓને વહીવટમાં સ્થાન મળી શકે તે માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે હવે નો રિપિટ થીયરીનો અમલ કરવામાં આવશે.


નવા લોકોને તક મળે તે માટે નિર્ણય 


ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન જિલ્લાના અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પદો માટે નો રિપિટેશન થિયરીનો અમલ કરવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ પાર્ટી દ્વારા આ નિર્ણય કરાયો છે. નો રીપિટની થિયરી મુજબ જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.


1500 જેટલા પદો માટે હોદ્દેદારોની પ્રક્રિયા શરૂ 


ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી આ બધાની લગભગ 1500 જેટલા સભ્યો જેમણે આ જવાબદારી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.