ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે કરી અપીલ! જાણો નવસારી મુલાકાત દરમિયાન શું કહ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષે


  • Published By :
  • Published Date : 2023-06-13 14:21:49

તંત્ર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાન રાખવા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, તે ઉપરાંત પરિસ્થિતને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ફૂડ પેકેટ સહિતના વસ્તુઓને લઈ કાર્યકરો સજ્જ રહે તેવી અપીલ કરવામાં આવી છે.


આવશ્ક વસ્તુઓ સાથે સજ્જ રહેવા કરાઈ અપીલ! 

જેમ જેમ ગુજરાત તરફ બિપોરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે અપીલ કરી છે. અપીલ કરતા તેમણે કહ્યું કે ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે કાર્યકર્તાઓ સજ્જ રહે.  તે સિવાય દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તેવી અપીલ સી.આર.પાટીલે કરી છે.    


દરિયાઈ વિસ્તારની લીધી મુલાકાત!

નવસારીની મુલાકાત સી.આર.પાટીલે લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ પટ્ટીની મુલાકાત તેમણે લીધી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને દરિયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થળ મુલાકાત લઈ સી.આર.પાટીલે જાતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ફૂડ પેકેટ તૈયાર રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ ગઈકાલે દ્વારકા પહોંચ્યા હતા અને 16 જૂન સુધી દ્વારકા સાઈડ ના આવવા અપીલ કરી હતી.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.