નવસારીમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યું આધુનિક બસોનું લોકાર્પણ! 35 કિમીની કરી બસ યાત્રા, શું ખરાબ રસ્તાનો તેમને થયો હશે અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:24:54

રાજ્યના અનેક લોકો એવા છે જે હજી પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક વખત ખરાબ રસ્તા હોવાને કારણે તેમજ ખરાબ બસ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારે અનેક સરકારી બસનું લોકાર્પણ કર્યું છે. અનેક વખત ફરિયાદો મળતા રાજ્ય સરકારે 150 જેટલી બસ ગાંધીનગર, 70 બસો પાલનપુર, 150 જામનગર અને નવસારીમાં 125 બસોનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે બસને લીલી ઝંડી બતાવી હતી.

 


બસમાં કરી 35 કિલોમીટરની યાત્રા! 

નવસારી ખાતે હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બસોનું લોકાર્પણ કર્યા બાદ નવસારીથી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ સી.આર.પાટીલે બસની મુસાફરી કરી હતી. અંદાજીત 35 કિલોમીટરની આ યાત્રા કરી બંને રાજનેતાઓએ બસનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી નહીં થવાથી છેલ્લા ત્રણ વર્ષમાં 558  અકસ્માત થયાં, 234 લોકો મોતને ભેટ્યાં | There have been 558 accidents in  Gujarat in the last ...

ખરાબ રસ્તાને લીધે જીવલેણ અકસ્માત થાય તો વાહનચાલક સામે જ સદોષ માનવવધનો ગુનો  - accident on bad roads drivers in homicide charge pothole - I am Gujarat

amc requests hc to give more time to finish the probe


(જૂની તસવીરો)

ખરાબ રસ્તાની સમસ્યા અંગે સરકાર કામ કરે તે જરૂરી!

બંને નેતાઓએ જેવી રીતે બસનું નિરીક્ષણ કર્યું હતું તેવી જ રીતે તેમણે રસ્તાનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં રસ્તાઓ જ નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં તો કાચો રસ્તા બનાવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. થોડા સમય પહેલા જ ડેડિયાપાડાના એક ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સરકારને રસ્તા પર પડેલા ખાડા, ખરાબ રસ્તા દેખાય તેવો વિચાર લોકો કરી રહ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!