AMC દ્વારા પકડવામાં આવેલી ગાયોને આવી પરિસ્થિતિમાં રખાય છે! આ દ્રશ્યો જોઈ તમે વિચલીત થઈ શકો છો!


  • Published By :
  • Published Date : 2023-11-17 14:41:34

રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તંત્રની કામગીરી પર અનેક વખત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટની અનેક વખત ફટકાર બાદ તંત્ર રખડતા ઢોરને પકડવા માટે દોડતું થયું. રખડતા ઢોરને તો પકડવામાં આવે છે પરંતુ કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે કદાચ એનો વિચાર આપણે નહીં કરી શકીએ. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ગાયોને જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તે દયનિય છે. હાઈકોર્ટની ફટકાર બાદ જ્યારે ટીમ ઢોરને પકડવા માટે જાય છે ત્યારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે બબાલ થાય છે, મારપીટ થાય છે તેવી ઘટનાઓ, તેવા કિસ્સાઓ આપણે જોયા છે. રખડતા ઢોરને પકડવાની કામગીરીના વીડિયો અનેક વખત બતાવવામાં આવ્યા ત્યારે આજે એવા દ્રશ્યો બતાવવા છે કે કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે?

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા ઢોરને 

હાઈકોર્ટની ઝાટકણી બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગાયોને પકડવામાં આવી છે અને ઢોરવાસમાં રાખવામાં આવે છે. એક વખત તો સમાચાર સામે આવ્યા હતા કે ઢોરવાસ પેક થઈ ગયા છે. રખડતા ઢોરને પકડવા જ્યારે ટીમ જતી હતી તેના દ્રશ્યો તો અનેક વખત બતાવ્યા છે પરંતુ ગાયોને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેના દ્રશ્યો આજે તમને બતાવવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરને વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.



પાંજરાપોળમાં નથી પાણીની વ્યવસ્થા અને અનેક ગાયો મૃત હાલતમાં મળી!

ત્યારે અમદાવાદના રાસ્કા ગામ નજીક આવેલી એક પાંજરાપોળનો વીડિયો માલધારી આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માલધારી આગેવાને આક્ષેપ કર્યો છે કે, રાસ્કા ગામ ખાતે ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા પાંજરાપોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પકડેલા ઢોર રાખવામાં આવ્યા છે. જ્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ત્રણથી ચાર ઢોર મૃત્યુ પામ્યા છે. ઢોરને કાગડા કોતરી કોરી ખાઈ રહ્યા છે.આના પહેલા પણ એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ તહ્યો હતો જેમાં અમદાવાદમાં ગાયો જ્યાં રાખવામાં આવી ત્યાં ગાયોની હાલત ખરાબ હતી. 

ગાંધીનગરના પાંજરાપોળની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

અમદાવાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ  ગાંધીનગરમાં આવેલા એક પાંજરાપોળની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગાંધીનગર સેક્ટર 30 નજીક આવેલા પાંજરાપોળ તેઓ પહોંચ્યા હતા. પાંજરાપોળ પહોંચીને કેવી રીતે ગાયોને રાખવામાં આવે છે તેની માહિતી તેમણે મેળવી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!