ગૌ-રક્ષકો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:02:37

ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોને 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ સરકાર દ્વારા સહાય ન મળતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે. બનાસકાંઠામાં પશુપાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી સરકાર પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ પહેલ ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉઠાવવામાં આવી હતી. ડીસામાં ગૌ-શાળા સંચાલકોની બેઠક યોજાવાની છે જેમાં આ આંદોલનને કઈ રીતના આગળ વધારવું તે નક્કી કરવામાં આવશે.  



વડાપ્રધાનને ગૌ-પ્રેમી કરશે રજૂઆત 

ગાયના મુદ્દાને લઈ રાજકારણ ચાલી રહ્યુ છે. રાજકીય પાર્ટી આનો લાભ લેવા તત્પર બની છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં અનેક પ્રવાસો કરી પ્રચાર કરવાના છે. ત્યારે આ સમયે ગૌ-પ્રેમીઓ સરકાર વિરૂધ ધરણા પ્રદર્શન કરવાના છે. ઉપરાંત અનેક કાર્યક્રમનોનું આયોજન કરી સરકાર સામે આંદોલન ચાલુ રાખવાના છે. વડાપ્રધાન શક્તિ પીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા જવાના છે. તે દરમિયાન ગૌ સેવકો ચાલો અંબાજી અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં જોડાવા ગૌ-પ્રેમીએ અપીલ કરી છે. અંબાજી ખાતે પહોંચી વડાપ્રધાન મોદી સમક્ષ 5000 જેટલા લોકો પોતાની રજૂઆત કરવાના છે.   

Narendra Modi: News, Photos, Latest News Headlines about Narendra Modi -  The Indian Express 

Ambaji Temple



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.