ચીનમાં કોરોનાનો કહેર, 5 મહિનામાં સૌથી વધુ કેસ, ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં મિની લોકડાઉન


  • Published By :
  • Published Date : 2022-11-13 16:00:12


ચીનમાં પાંચ મહિના બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના 14,878 નવા કેસ નોંધ્યા છે, જે છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ છે. ચીનની રાજધાની બેઇજિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં કોરોના સંકમણના મોટી સંખ્યામાં કેસ નોંધાતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે.


NHCએ વધતા દૈનિક કેસને લઈ ચિંતા વ્યક્ત કરી


ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) એ રવિવારે જણાવ્યું હતું કે, ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19 વાયરસના સંક્રમણના 14,878 નવા કેસ નોંધાયા છે જ્યારે 11 નવેમ્બરે 11,950 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્રમજનક 235 નવા દૈનિક કેસ નોંધાયા છે, જેની સંખ્યા એક દિવસ અગાઉ 116 કેસ હતી. હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં એપલ કંપનીના સપ્લાયર ફોક્સકોનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલો છે, જેમાં દૈનિક 2,642 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 


ચીનમાં પાછલા સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વૃદ્ધિ ‘ઝીરો કોવિડ રણનીતિ’ની વચ્ચે અવરોધો ઉભા કરી રહ્યા છે, જેમાં આ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિને આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.