ચીનમાં કોરોનાથી હાહાકાર, દરરોજ 10 લાખ નવા કેસ, 5 હજાર મોત, નવા રિપોર્ટે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-22 15:46:19

ચીનમાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચક્યું છે, આ વખતે Corona BF.7 Variantને સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. એક નવા રિપોર્ટે ચાઈનીઝ ઓથોરિટીની ચિંતા વધારી છે, આ નવા રિપોર્ટ પ્રમાણે દેશભરમાં લગભગ 10 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે.


લંડનની એનાટિક્સિ ફર્મે જાહેર કર્યો રિપોર્ટ


ચીનમાં વધઈ રહેલા કોરોના સંક્રમણ અંગે લંડન સ્થિત જાણીતા એનાટિક્સિ ફર્મ એયરફિનિટી લિમિટેડએ આંકડા ટાંકીને રિપોર્ટ  રજુ કર્યો છે. દેશમાં અત્યંત સંક્રામક  Corona BF.7 Variantના  કારણે સંક્રમણ વધ્યું છે. ચીનમાં કોરોના નિયમો હળવા કરાયા ત્યારથી જ આ નવો વેરિયન્ટ વધુ આક્રમક બન્યો છે. તેના કારણે જ દેશમાં નવા કેસની સંખ્યા 3.7 લાખ થઈ શકે છે, જ્યારે માર્ચમાં આંકડો વધીને 42 લાખ સુધી પહોંચી શકે છે. 


ચીન સરકારે આંકડાની જાહેરાત બંધ કરી 


ચીનમાં કોવિડ સંક્રમણ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાનું સરકારે બંધ કર્યું છે. આ કારણે જ કોરોનાની સાચી સ્થિતી અંગે માહિતી મળતી નથી, જો કે એવું અનુમાન છે કે રાજધાની બીજિંગમાં સંક્રમણ દર 50 ટકાથી વધુ રહી શકે છે. જ્યારે સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અને રાજ્યોમાં આંકડો 70ટકાથી વધુ રહી શકે છે. બીજિંગમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધુ છે કે દર્દીઓને બેડ મળતા નથી. હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઘટ્યો છે. આ જ સ્થિતી શ્મશાન ગૃહોની બહાર જોવા મળી રહી છે. મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે