covid-19: દેશમાં વિદેશથી આવેલા પ્રવાસીઓએ ચિંતા વધારી, દિલ્હીમાં 4 તો કોલકાત્તામાં 2 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2022-12-26 19:13:43

ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે, ભારત સરકારે પણ કોરોનાના વધતા કેસને જોઈને રાજ્ય સરકારોને વિગતવાર ગાઈડલાઈન્સ આપી છે. આ દરમિયાન વિદેશમાંથી ભારત આવેલા કેટલાક લોકો કોરોના સંક્રમિત જણાયા છે. આજે દિલ્હીમાં 4 જ્યારે કોલકાત્તામાંથી 2 કોરોના સંક્રમિત મળી આવતા કેન્દ્ર સરકાર એક્સનમાં આવી છે.


દેશમાં કોરોનાને લઈ શું છે ઘટનાક્રમ


ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા યુવકનો કોરોના પોઝિટિવ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.  આરોગ્ય વિભાગ 7 દિવસ સુધી તેની ચુવકને તેની દેખરેખ હેઠળ રાખશે. દરમિયાન, યુવાનોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લખનૌના કેજીએમયુમાં મોકલવામાં આવશે.


રાજધાની દિલ્હીમાં મ્યાનમારથી પરત ફરેલા ચાર અને દુબઈ અને મ્યાનમારથી આવેલા 2 નવા કોરોના કેસ કોલકાતામાં મળી આવ્યા છે.


બિહારના બોધ ગયામાં બ્રિટન અને મ્યાનમારના વિદેશી નાગરિકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે જ સમયે, રાજ્ય સરકારે હવે બોધગયા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કર્યું છે.


કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કેન્દ્રએ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. દરેક ફ્લાઇટમાંથી 2 ટકા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.


આ સાથે જ, કેન્દ્રએ એવા દેશોના તમામ પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જ્યાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગ-કોંગ, બેંગકોક વગેરે છે.


દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો, સામાન્ય લોકોના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.


દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


એ જ રીતે કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની AIIMSમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.


કર્ણાટકમાં સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે પણ માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.