ભારતમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા, વિદેશી મુસાફરોની ટેસ્ટિંગમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-01-05 16:11:33

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એરપોર્ટ અને બંદરોથી આવતા આંતરરાષ્ટ્રિય મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. 


6 દેશોના મુસાફરોનું ટેસ્ટીંગ


ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો તેથી 124 કોરોના પોઝિટીવ મળ્યા છે. મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે.


ઓમિક્રોનના કયા છે 11 સબ વેરિયેન્ટ્સ


ઓમિક્રોનના 11- સબ વેરિયેન્ટ્સની મુળ વાત કરીએ તો  XBB 1, 2, 3, 4,5 ની સંખ્યા સૌથી વધુ મળ્યા છે. ત્યાં જ  BA.5, BQ 1.1 અને BQ1.122, BQ 1. 1.5, CH1.1, CH.1.1.1, BF.7.4.1, BB3 પણ સંક્રમિતોમાં જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના વેરિયેન્ટની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ તમામ વિરિયંન્ટ પર ભારતીય રસીની સંતોષજનક અસર જોવા મળી છે. તેથી જ હાલ તુરંત નવી વેક્સિનની જરૂર અનુભવાઈ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.