શું દેશમાં Covid-19ના બુસ્ટર ડોઝની જરૂર છે? કોરોનાની વધતી ચિંતાને લઈ સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-03 12:32:50

ચીનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ ભારતમાં પણ ભયનો માહોલ છે. દેશમાં લોકો હવે કોરોનાના બુસ્ટર ડોઝની માગ કરી રહ્યા છે. જો  કે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોરોનાના નવા વેરિયેન્ટનો સામનો કરવા માટે અન્ય કોઈ પણ પ્રકારના બુસ્ટર ડોઝની જરૂરીયાત ન  હોવાનું જણાવ્યું હતું. 


 220.11 કરોડ લોકોને રસીના ડોઝ 


સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા દેશમાં આપણે બુસ્ટર ડ્રાઈવને પૂરી કરવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વર્તમાનમાં 2,582 છે. મંત્રાલયના  આંકડા પ્રમાણે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.11 કરોડ લોકોને રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.


કોરોનાથી થતા મોતમાં આવ્યો રેકોર્ડ ઘટાડો


આ દરમિયાન માર્ચ 2020 બાદ પહેલી વખત છેલ્લા સપ્તાહમાં એટલે કે 26 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી દરમિયાન  કોવિડથી થનારા મોતની સંખ્યા ઘટી છે. કોવિડ ડેટા બેઝ પ્રમાણે 19-25 ડિસેમ્બરમાં 16 લોકોના મોત નિપજ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.