માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે ગણાવ્યા દોષી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ કરી ટ્વિ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-23 16:44:13

2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ છે? મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટમાં આજે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. રાહુલ ગાંધી પર આપવામાં આવેલા ચૂકાદાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ પ્રતિકિયા આપી છે. 

 

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા 

મોદી સમાજને લઈ રાહુલ ગાંધીએ 2019 દરમિયાન ચૂંટણી પ્રચારમાં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે બધા ચોરની અટક મોદી કેમ છે? ત્યારે આ નિવેદનને લઈ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.સુરત કોર્ટમાં આની કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા છે. સજા મળતાં જ તેમને જામીન મંજૂર થઈ ગયા હતા. ત્યારે આ સજા પર કોંગ્રેસના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. 30 દિવસ સુધી રાહુલ ગાંધીની સજા પર રોક લાગી ગઈ છે. 


પ્રિયંકા ગાંધીએ સજા બાદ આપી પ્રતિક્રિયા 

પ્રિયંકા ગાંધીએ આ વાતને લઈ ટ્વિટ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ડરી ગયેલી પૂરી મિશનરી સામ, દામ, દંડ, ભેદ લાગુ કરીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહીં. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહે છે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીનો પ્રેમ તેમની સાથે છે. 


રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલેએ કર્યું ટ્વિટ

સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેમને પામવાનો રસ્તો છે. તે ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે બીજેપી સિવાયના અન્ય પક્ષો અને પાર્ટીઓ પર કેસ કરી તેમને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે. અમારે કોંગ્રેસથી મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આવી રીતે માનહાનિના કેસમાં ફસાવું ઠીક નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવાનું. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણયથી અમે અસહેમત છીએ. 


કોંગ્રેસે સોશિયલ મીડિયા પર બદલ્યું પ્રોફાઈલ પિક્ચર  

તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે કાયર, તાનાશાહ ભાજપ સરકાર રાહુલ ગાંધી અને વિપક્ષથી તિલમિલાઈ ગયું છે. કારણ કે અમે તેમના કાળા કારનામાઓ સામે લાવી રહ્યા છીએ. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પોતાનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચર પણ બદલી દીધું છે જેમાં રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ડરો મત..

   


ભાજપના નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ સિવાય ભાજપના અનેક નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે સજા બાદ રાહુલ ગાંધીમાં સુધારો થાય તો દેશ માટે સારી વાત કહેવાશે. પૂર્ણેશ મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારી ફરિયાદના આધારે કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેને હું આવકારૂ છું.                        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!