મોદી પર હુમલાની યોજના બનાવનાર PFIની ઉલટી ગીનતી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 21:40:40

મોદી પર હુમલાનું ષડયંત્ર કરનાર પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ પીએફઆઈ સામે ઓક્ટોપસ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ગાળિયો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાનાર પાર્લામેન્ટના શિયાળા સત્ર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય લઈ લેવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 250થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. 


સરદારો બાદ કાર્યકર્તાઓને ત્યાં પડશે છાપા

પીએફઆઈ પર આતંકવાદીઓ પાસેથી પૈસા લેવાનો અને અનેક શહેરોમાં દંગા ફેલાવવાનો આક્ષેપ છે. આથી કેન્દ્ર સરકાર પીએફઆઈના મોટા માથાઓ પર કાર્યવાહી અને પીએફઆઈના એકાઉન્ટ બંધ કરવા કરવા માટે મથી રહી છે. અત્યાર સુધીમાં પીએફઆઈના બે મોટા લોકોના ઘરે છાપા લગાવાઈ ગયા છે. કેન્દ્ર સરકાર હવે પીએફઆઈના કાર્યકર્તાઓ પર રેડ કરવાના મૂડમાં છે. 


થોડા દિવસો પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી

NIAએ સપ્ટેમ્બર માસના શરૂઆતના સમયમાં પીએફઆઈના  તેલંગાણા, આંધ્રપ્રદેશના 40 સ્થળોએ દરોડા પાડી ચાર લોકોની અટકાયત કરી હતી. તપાસ એજન્સીએ ત્યારબાદ તેલંગાણામાં 38 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે છરીઓ અને રોકડ રૂપિયા 8,31,500 સહિતની ગુનાહિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે તમામ આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવતા હતા.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.