આ હદે ભ્રષ્ટાચાર...! Arvalliના બાયડથી સામે આવ્યો એક વીડિયો જેમાં હેન્ડ પંપ તો નાખી દીધો પરંતુ.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-10-01 16:12:38

ભ્રષ્ટાચાર... આ શબ્દ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં જો કોઈ પણ  કામ કરાવું હોય તો પહેલા પૈસા આપવા પડે અને પછી જ કામ થાય.. આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. અનેક યોજનાઓ એવી છે જેની કામગીરી ચોપડા પર 100 ટકા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વાસ્તવિક્તામાં ત્યાં કંઈ ના હોય.. નલ સે જલમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ત્યારે અરવલ્લીના બાયડથી એક વીડિયો સામે આવ્યો જેમાં હેન્ડ પંપ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બોર જ નથી મૂકવામાં આવ્યો.. પીવાના પાણી માટે લગાવવામાં આવેલા હેન્ડ પંપમાં બોર જ નથી કરાયો.... સ્થાનિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકો સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે. 

હેન્ડપંપ તો નાખ્યો પરંતુ...

અનેક વખત કામગીરીની પોલ ખુલી જતી હોય છે... સરકારી ચોપડા પર કામગીરી પૂર્ણ બતાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે.. નલ સે જલ યોજનામાં નળ તો મૂકી દીધા પરંતુ પાણી આવતું ન હતું.. ઘરોમાં પાણી નળ દ્વારા મળે તેવી વાતો ઘણી વખત સાંભળી હશે પરંતુ વાસ્તવિક્તા શું છે તેની ખબર છે આપણને.. અરવલ્લીના બાયડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો હેન્ડ પંપને ઉખાડી નાખે છે અને દેખાડે છે કે તેની નીચે કાંઈ છે જ નહીં.. હેન્ડ પંપ શોભાના ગાંઠિયા સમાન છે.. હેન્ડ પંપની નીચે બોર જ નથી કરવામાં આવ્યો જેને કારણે પાણી આવતું નથી....


સિસ્ટમમાં હદ કરતા વધારે વધી ગયો છે ભ્રષ્ટાચાર 

ગ્રામજનોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા આચરવામાં આવ્યો છે.. ઉપરાંત કાગળ પર 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.. સરકારી ચોપડે તો કામ પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી કરવામાં આવતું.. જાગૃત નાગરિકે આની પોલ ખોલી છે.. ઉલ્લેખનિય છે કે ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે કંઈ પણ નાનું કામ કેમ ના કરાવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે.. સિસ્ટમમાં સડો ઘૂસી ગયો છે અને આ ભ્રષ્ટાચાર સિસ્ટમને ખાઈ રહ્યો છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે