આ હદે ભ્રષ્ટાચાર...! Arvalliના બાયડથી સામે આવ્યો એક વીડિયો જેમાં હેન્ડ પંપ તો નાખી દીધો પરંતુ.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-01 16:12:38

ભ્રષ્ટાચાર... આ શબ્દ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં જો કોઈ પણ  કામ કરાવું હોય તો પહેલા પૈસા આપવા પડે અને પછી જ કામ થાય.. આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. અનેક યોજનાઓ એવી છે જેની કામગીરી ચોપડા પર 100 ટકા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વાસ્તવિક્તામાં ત્યાં કંઈ ના હોય.. નલ સે જલમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ત્યારે અરવલ્લીના બાયડથી એક વીડિયો સામે આવ્યો જેમાં હેન્ડ પંપ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બોર જ નથી મૂકવામાં આવ્યો.. પીવાના પાણી માટે લગાવવામાં આવેલા હેન્ડ પંપમાં બોર જ નથી કરાયો.... સ્થાનિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકો સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે. 

હેન્ડપંપ તો નાખ્યો પરંતુ...

અનેક વખત કામગીરીની પોલ ખુલી જતી હોય છે... સરકારી ચોપડા પર કામગીરી પૂર્ણ બતાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે.. નલ સે જલ યોજનામાં નળ તો મૂકી દીધા પરંતુ પાણી આવતું ન હતું.. ઘરોમાં પાણી નળ દ્વારા મળે તેવી વાતો ઘણી વખત સાંભળી હશે પરંતુ વાસ્તવિક્તા શું છે તેની ખબર છે આપણને.. અરવલ્લીના બાયડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો હેન્ડ પંપને ઉખાડી નાખે છે અને દેખાડે છે કે તેની નીચે કાંઈ છે જ નહીં.. હેન્ડ પંપ શોભાના ગાંઠિયા સમાન છે.. હેન્ડ પંપની નીચે બોર જ નથી કરવામાં આવ્યો જેને કારણે પાણી આવતું નથી....


સિસ્ટમમાં હદ કરતા વધારે વધી ગયો છે ભ્રષ્ટાચાર 

ગ્રામજનોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા આચરવામાં આવ્યો છે.. ઉપરાંત કાગળ પર 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.. સરકારી ચોપડે તો કામ પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી કરવામાં આવતું.. જાગૃત નાગરિકે આની પોલ ખોલી છે.. ઉલ્લેખનિય છે કે ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે કંઈ પણ નાનું કામ કેમ ના કરાવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે.. સિસ્ટમમાં સડો ઘૂસી ગયો છે અને આ ભ્રષ્ટાચાર સિસ્ટમને ખાઈ રહ્યો છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું..

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે