ચીનમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, એક વર્ષમાં 10 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-16 13:10:26

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એક સપ્તાહ પહેલા ઝીરો કોવિડ પોલીસીમાં રાહત આપવામાં આવી છે. જો કે તેના કારણે દેશભરમાં સંક્રમણ ફરીથી વધવાની આશંકા છે. આ અંગે નિષ્ણાતોએ પણ ચેતવણી ઉચ્ચારી છે, તેમનું માનવું છે કે દેશમાં કોરોના સંક્રમણથી 10 લાખ લોકોના મોત થઈ શકે છે.


ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક


હોંગકોંગ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગના પૂર્વ ડીન ગેબ્રિયલ લેઉંગે જણાવ્યું કે ચીનની સરકારે કોઈ પણ પ્રકારની બુસ્ટર વેક્સિન વિના જ કોરોનાના નિયમોમાં રાહત આપી છે, તેના કારણે 10 લાખ લોકોના મોત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં રાહતથી સંક્રમણ વધી શકે છે, અને તે એટલા બધા હતા હશે કે તમામ રાજ્યોની હોસ્પિટલો માટે સંક્રમિતોને સંભાળવા મુશ્કેલ બની જશે.  


કોરોનાના આંકડાની જાહેરાત બંધ 


ચીનની સરકારે અનિવાર્ય પીસીઆર ટેસ્ટને બંધ કરી દીધો છે. એટલું જ નહીં ચીનની સરકારે મંગળવારથી કોરોનાના કેસની જાહેરાત બંધ કરી દીધી છે. આંકડા મુજબ બીજિંગ અને બાઓડિંગ અને શિન્ઝિયાઝુઆંગની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ખુબ વ્યાપક અને ઝડપથી ફેલાઈ રહ્યું છે.    




જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે