દેશમાં પગપેસારો કરતો કોરોના! જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-01 12:11:51

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2994 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 16,354 પર પહોંચી ગયો છે. ગુરૂવારે અને શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સંક્રમણને કારણે દિલ્હી, કર્ણાટક અને પંજાબથી બે બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ઉપરાંત કેરળથી પણ બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ?

કોરોના ફરી એક વખત દેશમાં પગ પેસારો કરી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પરંતુ શનિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 2994 નોંધાયો છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કુલ 4.47 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. 16354 હાલ દેશમાં એક્ટિવ કેસ છે. કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હજી સુધી 220.66 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ગઈ છે. 


કેન્દ્ર સરકાર રાખી રહી છે કોરોના કેસ પર નજર 

દેશમાં વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કોરોના કેસ પર ધ્યાન રાખી રહી છે. ગુજરાત સરકારે પણ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. વધતા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.