દેશમાં વધ્યો કોરોનાનો કહેર, JN.1નું નવું વેરિઅન્ટ 7 રાજ્યોમાં ફેલાયું, આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-12-27 18:40:18

વિશ્વમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 412 નવા કેસ નોંધાયા છે, દેશમાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 4170 થઈ ગઈ છે. આમાંથી 69 કેસ નવા JN.1 સબ વેરિઅન્ટના છે. કોરોનાવાયરસ JN.1 નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત 83 દર્દીઓ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો, બે રાજ્યો - કર્ણાટક અને કેરળમાં સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 409 કેસ જોવા મળ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 4,170 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3,096 કેસ એકલા કેરળના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કર્ણાટકમાં કોવિડ-19ના 122 કેસ છે અને 3 લોકોના મોત થયા છે.


આ રાજ્યોમાં સૌથી વધુ કેસ


ગુજરાતમાં JN.1 વેરિઅન્ટના 34 કેસ મળી આવ્યા છે. ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં JN.1 સબ-વેરિઅન્ટ સાથે સંક્રમણનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો. JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાઈ ચુક્યું છે. WHO અનુસાર, JN.1 સબ-વેરિઅન્ટના સૌથી વધુ કેસ ફ્રાન્સ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં નોંધાયા છે.


ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે JN.1 


નવા સબ-વેરિઅન્ટ JN.1 ના સતત કેસોને કારણે, આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે. AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે, “હાલમાં JN.1 સબ-વેરિઅન્ટ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે પરંતુ તે ગંભીર ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી બની રહ્યું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.