કોરોનાના નવા 304 કેસ, છ દર્દીઓ વેન્ટિલેટર પર; અમદાવાદ સહિત આ જિલ્લામાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-04-18 22:27:33

કોરોનાના કેસમાં ગઈ કાલની રાહત બાદ આજે ફરી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ  304 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ  370 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર  98.97  ટકા નોંધાયો છે. 


કુલ 2149 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2149 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2143  દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,74,577 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ  91  કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 42 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 19 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 14 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 10 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 10 કેસ નોંધાયા છે. પાટણમાં પણ 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 5 કેસ સામે આવ્યા છે. મોરબીમાં પણ 5 કેસ નોંધાયા છે. આણંદમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, નર્મદામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, તાપીમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને જામનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.