US હાર્ટ એસોસિયેશનનો દાવો, કોરોનાના કારણે હ્રદય રોગીઓ વધ્યા, મૃત્યુ દરમાં 4.6 ટકાની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-01-27 17:52:50

કોરોનાકાળ દરમિયાન હાહાકાર મચી ગયો હતો, દેશભરમાં લાખો લોકોના મોત થયા હતા. હવે આ મહામારીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રોગચાળા બાદ અમેરિકામાં હ્રદયરોગની સંખ્યામાં જોરદાર વૃધ્ધી થઈ છે. સ્ટડી અનુસાર કોરોના મહામારીના એક વર્ષ બાદ હાર્ટ એટેકથી મરનારાની સંખ્યામાં 6.2 ટકા જેટલી વૃધ્ધી થઈ છે. 


US હાર્ટ એશોસિયેશને કર્યો સ્ટડી 


અમેરિકાની પ્રખ્યાત હાર્ટ એસોસિયેશને હાર્ટ ડિસીસ એન્ડ સ્ટ્રોક સ્ટેટિક્સ 2023 નામથી એક સ્ટડી કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ (હૃદય રોગ) થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 9,28,741 છે, જ્યારે 2019 માં આ આંકડો 8,74,613 હતો. 2015 પછી આ સૌથી મોટો વધારો છે. આ પહેલા વર્ષ 2003માં અમેરિકામાં 9,10,000 લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા, ત્યારબાદ 2020માં સૌથી વધુ લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા. આ અભ્યાસ જર્નલ સરક્યુલેશનમાં પ્રકાશિત થયો છે.


મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી 


આ સ્ટડીમાં સામેલ હાવર્ડ મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર કોની ડબ્લૂ સોનું કહેવું છે કે હ્રદય રોગની બિમારીથી મરનારાઓનો આંકડો વધી રહ્યો છે. તે સાથે જ ઘણા વર્ષોમાં પહેલી વખત ઉંમર સંબંધી મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી આવી છે. સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીના કારણે  તમામ વયના લોકો પ્રભાવિત થયા છે. સ્ટડીમાં તે પણ દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લોકોના હ્રદય પર અસર કરી છે. હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ, બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન સહિતના તમામ કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનું કારણ કોરોના મહામારી માનવામાં આવે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.