કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે 247 કેસ નોંધાયા, મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 21:51:06

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં વિક્રમજનક વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં  247 નવા કેસ નોંધાયા છે, તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 


મહેસાણામાં એક બાળકનું મોત


કોરોના સંક્રમણ ધીરે-ધીરે જીવલેણ બની રહ્યું છે, આજે કોરોના વાયરસના કારણે આજે મહેસાણાના જોટાણા તાલુકામાં એક ત્રણ વર્ષના બાળકનું કોરોનાના કારણે મોત નિપજ્યું થયું છે. ગઈકાલે પણ ભરૂચના ઝઘડિયાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે 10 માર્ચના રોજ સુરતમાં એક દર્દીના મોત થયું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી લોકોએ કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તે અંગે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


આજે કેટલા કેસ વધ્યા?


રાજ્યમાં કોરોના કેસના તાજા આકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. 


કોરોના એક્ટિવ કેસે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.