કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે 247 કેસ નોંધાયા, મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 21:51:06

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં વિક્રમજનક વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં  247 નવા કેસ નોંધાયા છે, તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 


મહેસાણામાં એક બાળકનું મોત


કોરોના સંક્રમણ ધીરે-ધીરે જીવલેણ બની રહ્યું છે, આજે કોરોના વાયરસના કારણે આજે મહેસાણાના જોટાણા તાલુકામાં એક ત્રણ વર્ષના બાળકનું કોરોનાના કારણે મોત નિપજ્યું થયું છે. ગઈકાલે પણ ભરૂચના ઝઘડિયાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે 10 માર્ચના રોજ સુરતમાં એક દર્દીના મોત થયું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી લોકોએ કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તે અંગે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


આજે કેટલા કેસ વધ્યા?


રાજ્યમાં કોરોના કેસના તાજા આકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. 


કોરોના એક્ટિવ કેસે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!