Gujarat corona cases:નવા 174 કેસ, કુલ 2215 એક્ટિવ કેસ, રિકવરી રેટ 98.96 ટકા


  • Published By :
  • Published Date : 2023-04-17 21:51:43

ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 174 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ  268 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર  98.96 ટકા નોંધાયો છે. 


કુલ  2215 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2215 એક્ટિવ કેસ છે. જે પૈકી  05  દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2210  દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,830 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ- 57, વડોદરા કોર્પોરેશન - 26, સુરત કોર્પોરેશન - 24, સાબરકાંઠા - 9, ગાંધીનગર કોર્પોરેશન - 6, રાજકોટ કોર્પોરેશન - 6, સુરત - 6, મહેસાણા - 5, વડોદરા - 4, વલસાડ - 4, ભરૂચ - 3, કચ્છ - 3, અમરેલી - 2, આણંદ - 2, ભાવનગર કોર્પોરેશન - 2, ગાંધીનગર - 2, ગીર-સોમનાથ - 2, મોરબી - 2, નવસારી - 2, અમદાવાદ - 1, અરવલ્લી -1, બનાસકાંઠા - 1, પંચમહાલ - 1, રાજકોટ - 1, રાજકોટ - 1, સુરેન્દ્રનગર - 1, તાપી-1 કેસ નોંધાયો છે, જો કે રાજ્યમાં 15 જિલ્લા અને મહાનગરપાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. જેમાં ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.