corona cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 254 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મોત; 6 દર્દી વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-04-22 21:42:17

રાજ્યમાં સતત કોરોનાના કેસમાં  છેલ્લા કેટલાક દિવસોથી વધારો-ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 254  કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 333 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 1917  એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1917  એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1911 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,76,047 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11073  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ 75 કેસ તો એકલા અમદાવાદમાંથી નોંધાયા છે. આ ઉપરાંત  વડોદરામાં 37 કેસ, સુરતમાં 46 કેસ અને રાજકોટમાં માત્ર 3 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 17 કેસ, મહેસાણામાં 10 કેસ, અમરેલીમાં 8 કેસ અને વલસાડમાં પણ 8 કેસ નોંધાયા છે. પાટણ અને સાબરકાંઠામાં 7-7 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 6 કેસ, ભાવનગરમાં 6 કેસ, નવસારીમાં 5 કેસ નોંધાયા છે. આણંદ અને મોરબીમાં 4-4 કેસ સામે આવ્યા છે. જ્યારે કચ્છમાં 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, જામગનરમાં 1 કેસ અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.