Corona Vaccine નથી Heart Attack આવવા પાછળ જવાબદાર! ગૃહમાં ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-02-05 13:41:46

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ આજે વિધાનસભા સત્રમાં આ વાતને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાયાવિહોણી ગણાવી છે. 



કોરોના બાદ યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો! 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કોરોના મહામારીને કારણે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે મોટા લોકોને જ હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ કોરોના બાદ આ પરિસ્થિતિ બદલાઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



ઋષિકેશ પટેલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત!

એવું લાગતું હતું કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ નથી વધી રહ્યા. ગૃહમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.       


શાળામાં ભણતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે જે વડોદરાના પારનેરા ગામમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાને કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક શબ્દ સાંભળો સામાન્ય બની ગયો છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!