Corona Vaccine નથી Heart Attack આવવા પાછળ જવાબદાર! ગૃહમાં ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-02-05 13:41:46

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ આજે વિધાનસભા સત્રમાં આ વાતને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાયાવિહોણી ગણાવી છે. 



કોરોના બાદ યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો! 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કોરોના મહામારીને કારણે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે મોટા લોકોને જ હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ કોરોના બાદ આ પરિસ્થિતિ બદલાઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



ઋષિકેશ પટેલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત!

એવું લાગતું હતું કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ નથી વધી રહ્યા. ગૃહમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.       


શાળામાં ભણતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે જે વડોદરાના પારનેરા ગામમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાને કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક શબ્દ સાંભળો સામાન્ય બની ગયો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.