કોરોના વેક્સિનેશન અને સારવાર મામલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રએ લીધો આ ચોંકાવનારો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-15 20:14:24

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ કારણે AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. લોકોએ હવે કોરોનાની સારવાર ઘરે જ લેવી પડશે. જો કે કોરોનાના ગંભીર દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક મહામારી રહી નથી. 


કોરોના વેક્સિન માટે ક્યા જવાનું? 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. કોરોના વેક્સિન લેવી હશે તો ખાનગી હોસ્પિટલમાં મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલમાં વેકસીનેશનની અછત ઊભી થઈ હતી.


કોરોના ટેસ્ટિંગ યથાવત રહેશે 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, પણ કોરોના ટેસ્ટીંગની સુવિધા યથાવત રહેશે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાની હળવી અસર હશે તો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે. કોરોના પૂર્ણ થતાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અન્ય સારવાર શરૂ કરવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!