Corona Update : છેલ્લા 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત! Gujaratમાં નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 14:01:00

કોરોના આમ તો સામાન્ય બની ગયેલો શબ્દ છે. છેલ્લા અનેક વર્ષોથી કોરોના અંગેના સમાચાર સાંભળીએ છીએ. વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે. સોમવારે જાહેર કરવામાંઆવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કોરોનાની સાથે સાથે નવા વેરિયન્ટને કારણે પણ ચિંતા વધી છે. નવા વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.      

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી


દેશમાં કોરોનાના નોંધાયા 600થી ઉપર નવા કેસ 

એક સમય હતો જ્યારે કોરોના અંગેના સમાચારો પ્રતિદિન આવતા હતા પરંતુ થોડા મહિનાઓ બાદ એવો સમય પણ આવ્યો જ્યારે કોરોના કેસના સમાચાર ન આવતા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. 

30 more positive in Corona, the highest number of cases in 29 days |  કોરોનામાં વધુ 30 પોઝિટિવ 29 દિવસમાં સૌથી વધુ કેસ - Divya Bhaskar


અમદાવાદમાં વધતો કોરોના સંક્રમણનો ખતરો 

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્ચા છે. પ્રતિદિન ગુજરાતમાંથી કોરોના સંક્રમિતો મળી રહ્યા છે. નવા વેરિયન્ટે પણ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 24 જેટલા કેસ સામે આવ્યા છે. જે કેસ સામે આવ્યા છે તેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.