ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સબ વેરિઅન્ટ JN.1થી સંક્રમણ વધ્યું, નવા 21 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-12-20 19:12:20

દેશભરમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. જ્યારે એકલા ગોવામાં અત્યાર સુધીમાં આ સબ-વેરિયન્ટના 19 કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ મળી આવ્યો છે.


તકેદારી રાખવાની તૈયારી વધારવા સૂચના


કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ  છે આ JN.1. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસમાંનું એક બની ગયું છે. દેશભરમાં વધતા કોવિડ કેસ વચ્ચે, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વીકે પૉલે બુધવારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે, વીકે પોલે રાજ્યોને કોવિડ સજ્જતા વધારવા, ટેસ્ટિંગ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ દરમિયાન, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સચેત રહેવા એડવાઈઝરીમાં જણાવ્યું છે કારણ કે સમગ્ર દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે.  રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના રોગના કેસો, જિલ્લા પ્રમાણે, તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.


કેરળમાં 614 નવા કેસ, 3ના મોત


ગઈકાલે ભારતમાં કોરોના સંક્રમણના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી સૌથી વધુ છે. બુધવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ વધીને 2,311 થઈ ગયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક 5 લાખ 33 હજાર 321 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.50 કરોડ કેસ નોંધાયા છે.


કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 સ્ટ્રેન વિશે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાય છે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોસે કહ્યું છે કે JN.1 એ વધારે જોખમી નથી. JN.1 ને અગાઉ તેના મૂળ વંશ BA.2.86 ના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, પરંતુ WHO એ હવે તેને એક અલગ પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે. WHOએ જણાવ્યું કે હાલની રસીઓ JN.1 અને COVID-19 વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુને અટકાવવાનું ચાલુ રાખશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.