બ્રેકિંગ: કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1એ ચિંતા વધારી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-12-18 19:23:00

કોરોનાના નવા  JN.1 વેરિયેન્ટને લઈને દેશમાં વધી રહેલા ખતરાની વચ્ચે મોદી સરકારે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 કેસોમાં વૃધ્ધી અને ભારતમાં JN.1 પ્રકારનો પહેલો કેસ નોંધાતા રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવા સુચના આપવામાં આવી છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોનો રિપોર્ટ આપવો પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત પર્યાપ્ત ટેસ્ટની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત જિનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિલ કેસના સેમ્પલો પણ INSACOG પ્રયોગશાળાઓમાં મોકલવાનું કહ્યું છે.

કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ


ઉલ્લેખનિય છે કે કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.