Coronaના કેસમાં આવ્યો ઉછાળો , Kerelaમાં કોરાના કેસની સંખ્યા પહોંચી 2000ને પાર, Mansukh Mandviyaએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-12-20 14:54:48

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસો નહીંવત છે તેવું લાગતું, કોરોના ગાયબ થઈ ગયો હોય તેવું લોકોને લાગવા લાગ્યું હતું. પરંતુ ફરી એક વખત કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માત્ર કેરળથી ગઈકાલે કોરોનાના 292 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 614 કેસ નોંધાયા હતા. 

યાદ કરો કોરોનાનો એ સમય જ્યારે....

કોરોના... આ શબ્દ સાંભળતા જ આપણી સામે હોસ્પિટલમાં મરતા લોકો, ઓક્સિજન માટે તડપતા લોકો, હોસ્પિટલ બહાર લાગેલી લાંબી લાઈનો યાદ આવી જાય છે. કોરોનાનો સમય જેમતેમ કરી લોકોએ સહન કર્યો ત્યારે હવે ફરીથી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે મોત થતા હોય તેવા સમાચાર ન આવતા હતા. મોતના શું પરંતુ કોરોનાના કેસ કેટલા નોંધાયા તે સમાચાર આવતા ન હતા. પરંતુ શિયાળાની શરૂઆત થતાં જાણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 



કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી  

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 292 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 3 જેટલા લોકોના મોત કેરળમાં કોરોનાને કારણે થયા છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. 11 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા હજારની નીચે હતી પરંતુ 20 ડિસેમ્બર સુધી તો આ કેસની સંખ્યા 2000ના આંકડાને વટાવી ચૂકી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે. જો પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે પહોંચી વળાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી. ઉપરાંત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. 



ગુજરાતમાં પણ થઈ કોરોનાની રિ-એન્ટ્રી  

મહત્વનું છે કે કોરોનાના સમાચાર વાંચી અનેક લોકો કહેશે કે કોરોનાને લઈ મીડિયાવાળા ડરાવે છે, ડરાવતા નથી પરંતુ સતર્ક રહેવા જણાવતા હોઈએ છીએ. હમણાં એમ પણ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે શરદી ઉધરસ થવું સામાન્ય છે. અનેક લોકોને કફ પણ થઈ જતો હોય છે. હમણાં ભલે એવું લાગે છે કે કોરોનાના તો માત્ર આટલા જ કેસ છેને ડરવાની જરૂર નથી પરંતુ આ કેસ ક્યારે વધી જશે તેની ખબર પણ નહીં રહે!  કોરોનાના પણ આવા જ લક્ષણો છે ત્યારે જો વધારે આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેને કારણે સતર્કતા રાખવી જરૂરી છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.