Corona પાછો આવ્યો! આ જિલ્લામાં Corona કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:34:28

કોરોનાએ હાહાકાર કેટલો મચાવ્યો છે તે આપણે જાણીએ છીએ. અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એક સમય હતો જ્યારે હજારો લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. એ વખતે કોરોનાનું સંકટ લોકોના જીવ પર તોળાઈ રહ્યું હતું. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો. કેસ નોંધાવાના ઓછા થયા.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

કોરોનાની સારવાર અર્થે દર્દીને હોસ્પિટલ ખસેડાયો  

હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને. રોગચાળો પણ વધ્યો છે. જે સિઝન ચાલી રહી છે તેમાં લોકોને શરદી ઉધરસ તેમજ તાવ આવવાનું સામાન્ય છે. અનેક લોકોને આ તકલીફ હશે. પરંતુ જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો કારણ કે કોરોના પાછો આવી શકે છે! ગુજરાતના વલસાડ જિલ્લામાંથી કોરોનાનો કેસ નોંધાયો હોય તેવી માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોનાની સારવાર કરાવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. કોરોના ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

અનેક મહિનાઓ બાદ નોંધાયો કોરોનાનો કેસ 

જે વ્યક્તિ કોરોનાની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે તે નવસારીનો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરાયો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ દર્દીને સારવાર મળે તે માટે પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ કોરોના દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 

Two Persons Died In Drainage Line During Search Gol Powder In Surat | Surat  : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો

કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો નોંધાયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચાર આપણને મળે છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોરોના બાદ અનેક પરિવારોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. શળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કસરત કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!