દેશમાં કોરોનાએ ચિંતા વધારી, એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર, JN.1ના 5 નવા કેસ


  • Published By :
  • Published Date : 2023-12-25 15:23:15

કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓ દેશભરમાં વધી રહ્યા છે, ગત 24 કલાકમાં દેશભરમાં એક્ટિવ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 4054 સુધી પહોંચી ગયો છે. એક દિવસ પહેલા 3742 કેસ આવ્યા હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રના થાણેના નવા સબ વેરિયેન્ટ  JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ સૌથી એક્ટિવ કેસ કેરળમાં આવ્યા છે. દેશભરમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 5,33,334 પર પહોંચી છે. 


 24 કલાકમાં 315 દર્દીઓ સાજા થયા


આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ગત 24 કલાકમાં 315 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ દેશભરમાં અત્યાર સુધી 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  ગત 24 કલાકમાં કોરોનાના નવા વેરિયેન્ટના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 


JN.1 વેરિયન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલા


મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર બાદ 20 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પાંચ સેમ્પલ JN.1 વેરિયેન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે JN.1 વેરિયેન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કોઈને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 28 છે, તેમાંથી બેની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. અન્ય સંક્રમિત દર્દીઓ તેમના ઘરે જ સાજા થઈ રહ્યા છે. 


7 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ


દેશભરમાં રવિવારે એક જ દિવસમાં 656 નવા કોવિડ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે, રવિવારે પણ એક દર્દીનું મોત નિપજ્યું છે, એક્ટિવ કેસ 3,420 વધીને 3,742 થઈ ગઈ છે. આ પહેલા શનિવારે 752 કોવિડ-19 સંક્રમણ નોંધવામાં આવ્યા છે, જે ગત 7 મહિનામાં સૌથી વધુ કેસ છે. 21 મે બાદ આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દી એક દિવસમાં સામે આવ્યા હતા.   


કોરોના પ્રોટોકોલના પાલનની અપીલ 


કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો ચિંતાજનક નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે, સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી. તમામ કેસોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પણ કોઈપણ પ્રકારની તકલીફ વિના સાજા થઈ રહ્યા છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે