ચીનમાં કોરોના બન્યો બેકાબૂ, સારવાર માટે હોસ્પિટલ બહાર લાગી દર્દીઓની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-20 15:11:01

કોરોના સંક્રમણ ચીનમાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. પ્રતિબંધો હટાવવાને કારણે ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે ચીનમાં હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલી હદે વધારો થયો છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ શકે છે. 


ડોક્ટર તેમજ નર્સની વર્તાઈ રહી છે કમી 

કોરોના સંક્રમણને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ લોકોએ કર્યો હતો જેને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જેને કારણે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે. ઈલાજ કરાવા લોકો તડપી રહ્યા છે. એકાએક કોરોનાના આટલા બધા કેસ વધતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઉપરાંત ડોક્ટર તેમજ નર્સની પણ કમી દેખાઈ રહી છે. અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહમાં પડાપડી થઈ રહી છે.  


દર્દી વધતા ઓક્સિજન તેમજ બેડની સર્જાઈ અછત

ચીનમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા વિશ્વના દેશોની ચિંતા વધી છે. નિષ્ણાંતોના માનવા અનુસાર જો આવી જ રીતે કોરોના કેસમાં ઉછાળો આવતો રહ્યો તો ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે. એક અનુમાન પ્રમાણે આવનાર 3 મહિનાની અંદર 80 કરોડ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ જશે. દવા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. પૂરતા પ્રમાણમાં બેડ ન હોવાને કારણે જમીન પર જ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે.      




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.