કોરોનાના સંભવિત ખતરાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યો માટે જાહેર કરી ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 12:39:50

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં Omicron ના સબ-વેરિઅન્ટ BF.7 (Omicron BF.7)થી સંક્રમણના વધતા કેસ બાદ ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે. કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સંપુર્ણ ગાઈડલાઈન્સ આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શ્વસન રોગોની દેખરેખ માટે હોસ્પિટલ-આધારિત સિસ્ટમને મજબૂત કરવા કહ્યું છે જેથી દેશમાં ગમે ત્યાંથી કેસ વધવાના સંકેતો ઝડપથી મળી શકે.


કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ શું છે?


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠકમાં વિનંતી કરી હતી કે તેઓ પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરે જેથી INSACOG નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય જેથી નવા પ્રકારોની સમયસર શોધ થઈ શકે. INSACOG નિયમિતપણે કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યું છે. તે ઉપરાંત કોરોના વ્યવસ્થાપન અને રસીકરણની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં 23 ડિસેમ્બરે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધા આધારિત સિસ્ટમની સાથે શ્વસન વાયરસ સંબંધિત દેખરેખ પર પણ ધ્યાન આપવું જોઈએ. વિવિધ રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂકવો જોઈએ કારણ કે લોકો પણ તેમના મળ દ્વારા વાયરસ ફેલાવી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19 અથવા શ્વસન સંબંધી રોગોથી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવામાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે, તેથી તમામ હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ અને જો કોઈ હોય તો અસામાન્ય પેટર્ન પણ ઓળખવા જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.