દેશમાં વધતો કોરોના કહેર, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-24 17:20:57

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડા વધી રહ્યો છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 1249 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત 2 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાત અને કર્ણાટકમાં એક એક વ્યક્તિના મોત થયા છે. 


બે લોકોના થયા મોત 

એક સમય એવો હતો જ્યારે કોરોનાના બહું ઓછા કેસ સામે આવતા હતા. ઓછા લોકો કોરોના સંક્રમીત થઈ રહ્યા હતા. ત્યારે થોડા દિવસોથી કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. 1000 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો 1249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 7927 પર પહોંચી ગઈ છે. ઉપરાંત હજી સુધી દેશમાં 5 લાખ 30 હજાર જેટલા લોકોના મોત આને કારણે થયા છે. 

    

ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોના કેસ 

ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલકાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ નોંધાયા હતા. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.