ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ, સૌથી વધુ 120 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, વલસાડમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-26 20:51:29

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જેની સામે 134 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 5 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વલસાડમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. આમ, છેલ્લા 5 દિવસમાં કોરોનાને કારણે 5 દર્દીના મોત નીપજ્યા છે. 


કોરોનાના 1697  એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 120 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન - 30, સુરત કોર્પોરેશન - 25, મોરબી - 17, વડોદરા - 16, રાજકોટ - 14, વડોદરા કોર્પોરેશન - 14, સુરત - 8, અમરેલી - 6, જામનગર કોર્પોરેશન - 6, મહેસાણા - 6,  સાબરકાંઠા - 6, ભાવનગર કોર્પોરેશન - 5, કચ્છ - 5, બનાસકાંઠા-4, પાટણ - 4, વલસાડ - 4, ગાંધીનગર કોર્પોરેશન - 3, પોરબંદર - 3અમદાવાદ-2 આણંદ - 2,નવસારી - 2, ભરૂચ - 1, ભાવનગર - 1 અને ખેડામાં - 1 નોંધાયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.