રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 70 દર્દી નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-19 20:55:40

રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા 9 દિવસ બાદ આજે કેસમાં ઘટાડો નોંઘાતા તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133 પોઝીટિવ કેસ નોંધાયા છે. રાજ્ય ચાર મોટા શહેરોની તુલનામાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 70 કેસ આવ્યા છે. 



રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ


કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ છે. જેમાં 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 735 દર્દીઓની હાલત હાલત સ્થિર છે. બીજી તરફ, 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જિલ્લા અને કોર્પોરેશનમાં કેટલા કેસ?


રાજ્યમાં કોરોના કેસની સ્થિતી અંગે વિવિધા જિલ્લા અને કોર્પોરેશન પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 6 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 નવા કેસ, વલસાડમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર 3 અને પોરબંદરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ 1-1 કેસ નોંધાયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.