રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળા વચ્ચે રસીનો જથ્થો ખુટ્યો, આરોગ્ય વિભાગે રસીકરણની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું


  • Published By :
  • Published Date : 2023-04-04 16:09:08

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાના કારણે તાજેતર કેટલાક લોકોના મોત પણ થયા છે. જો કે તેનાથી વિપરતી રાજ્યમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી જતા સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આ જિલ્લામાં વેક્સિનનો જથ્થો પણ ખૂટ્યો છે. આ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ-તેમ કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. રસીનો જથ્થો ખુટતા લોકો રસી લીધા વગર જ આરોગ્ય કેન્દ્રો પરથી પરત ફરી રહ્યા છે.


વિવિધ શહેરોમાં રસીકરણ બંધ


રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોના રસીનો જથ્થો ખુટી ગયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારે રસીકરણ અભિયાન બંધ કર્યું છે. કોરોનાની રસીઓ જેવી કે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનની ભયાનક અછત જોવા મળી રહી છે. સરકારની આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 31 માર્ચ પછી કોરોના રસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાનો સ્ટોક ખુટી જતા ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રસીકરણના આંકડા પણ 1 એપ્રિલથી  જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.